હું મારા વિશે શું કહું? મૂળ તો હુ જામનગર નો રહેવાસી, અને હાલ માં અમદાવાદ રહુ છું. શાળાના સમયથી જ થોડું-થોડું લખવાની ટેવ ને એમ જોવું તો સારા એવા લેખો અને કૃતિઓ પહેલા નોટબુક માં લખેલા છે. પણ જયાર થી અમદાવાદ મા ગુજરાતી મિત્રો મળ્યાં, તો કંઇક લખી ને તમારી સમક્ષ રજુ કરવા માટે ની પ્રેરણા મળી અને હવે આપણે પણ મળતાં રહીશું. કોઈ ને કોઈ કારણે આશા છે કે મારા લેખો અને કૃતિઓ તમને પસંદ આવશે અને હા… મને જ્યાં પણ જરૂર લાગે, ત્યાં આપનાં કિમતી સલાહ-સૂચનો અને માર્ગદર્શન આપતાં રહેશો.
વડીલો તથા મિત્રો ને એક અરજ કે મારા લેખો અને કૄતિઓ પર તમારી નુકતેચીની અને સલાહ હંમેશા આવકાર્ય છે…